News of Thursday, 25th November 2021
ભાવનગરમાં ૧૫ મજૂરને ઇજા
મોણપુર ગામે ખેતમજૂરીએ જતી વખતે અકસ્માત નડયો
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૫ : ભાવનગરના સિહોરના ગુંદાળા - રામનગર પ્લોટ વિસ્તારમાં રહેતા શ્રમીકો મહિન્દ્રા પીકઅપ વાનમાં બેસી વલભીપુરના મોણપુર ગામે ખેત મજૂરીએ જઇ રહ્યા હતા ત્યારે આ વાહન રોડ સાઇડમાં અકસ્માતે પલ્ટી ખાઇ જતા ૧૫ શ્રમીકોને નાની - મોટી ઇજા થતાં તમામને ભાવનગર અને સિહોરની હોસ્પિટલ ખસેડાયેલ.
બનાવની જાણ થતાં સિહોર પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો.
(11:01 am IST)