સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th November 2021

ભાવનગરમાં ૧૫ મજૂરને ઇજા

મોણપુર ગામે ખેતમજૂરીએ જતી વખતે અકસ્માત નડયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૫ : ભાવનગરના સિહોરના ગુંદાળા - રામનગર પ્લોટ વિસ્તારમાં રહેતા શ્રમીકો મહિન્દ્રા પીકઅપ વાનમાં બેસી વલભીપુરના મોણપુર ગામે ખેત મજૂરીએ જઇ રહ્યા હતા ત્યારે આ વાહન રોડ સાઇડમાં અકસ્માતે પલ્ટી ખાઇ જતા ૧૫ શ્રમીકોને નાની - મોટી ઇજા થતાં તમામને ભાવનગર અને સિહોરની હોસ્પિટલ ખસેડાયેલ.

બનાવની જાણ થતાં સિહોર પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો.

(11:01 am IST)