સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 25th November 2021

ધુનડાના શાસ્ત્રી ભાવેશભાઇ શીલુની આજે જન્મજયંતિઃ રાત્રે પુ. જેન્તિરામબાપાના સાનિધ્યમાં સત્સંગ સભા ભાવાંજલી અર્પણ કરાશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. રપ :.. જામજોધપુર સતપુરણધામ આશ્રમના વ્યવસ્થાપક અને પૂ. જેન્તિરામબાપાના જયેષ્ઠ પુત્ર શાસ્ત્રી ભાવેશભાઇ શીલુ તા. ર૦ મે ના રોજ નિવાર્ણ થતા આજે તેમની ૪૧મી જન્મ જયંતિ છે.

અત્યંત સરળ અને સૌની સાથે મૈત્રી પૂર્વક વ્યવહાર કરનાર શાસ્ત્રી ભાવેશભાઇ શીલુની આજે જન્મજયંતિ હોય તે નિમીતે આજે રાત્રે ૯ કલાકે પૂ. જેન્તિરામબાપાનો સત્સંગ યોજાનાર છે. જેમાં બ્રહ્મલીન શાસ્ત્રી થી ગુણાનુવાદન તેમજ સંભારણા સત્સંગ સભામાં યાદ કરી તેમને ભાવાંજલી અર્પણ કરવામાં આવશે તેમ આશ્રમના વ્યવસ્થાપક હસમુખભાઇ શીલુ અને સતીષભાઇ પરમારે જણાવ્યું છે.

(12:44 pm IST)