સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th November 2022

ભાવનગરના અપરણીત યુવાન વણિક વેપારીનું ફલેટના પાંચમા માળેથી પડી જતા મોત

ભાવનગર,તા.૨૬ : શહેરના લીલાસર્કલ પાસે આવેલા એક ફલેટના પાંચમા માળેથી એક વણિક વેપારી યુવાન પડી જતા તેનું મોત નીપજયું છે .આ બનાવ આપઘાતનો છે કે અકસ્‍માતનો તે અંગે ચર્ચા જાગી છે.

આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ શહેરના લીલાસર્કલ નજીક આવેલ શ્રીઆલેખ ફલેટમાં પાંચમા માળે રહેતા શ્‍યામભાઇ દેવેનભાઇ પારેખ ઉં.વ .૩૭ᅠ પાંચમા માળેથી અચાનક પડી જતા તેને ગંભીર ઇજા થતા તેનું મોત નિપજયુ હતુ.મૃતક શ્‍યામભાઇ વેપારી હોવાનું અનેᅠ અપરણીત હોવાનુંᅠ જાણવા મળ્‍યુ હતુ. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. 

(11:17 am IST)