વાંકાનેર-મિતાણા રોડ ઉપર અકસ્માતમાં પીપળીયારાજના ઐયુબભાઇ કડીવારનું મોત
ટ્રેકટર-બાઇક વચ્ચેના અકસ્માતમાં વાંકાનેરની નામાંકીત હોસ્પીટલના કર્મચારી ઐયુબભાઇના મોતથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા શોકનું મોજ
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા., ૨૬: વાંકાનેર-મીતાણા રોડ પર આવેલ હણખણી પાસે બાઇક અને ટ્રેકટર સાથે અકસ્માત સર્જાતા મુળ પીપળીયારાજ ગામના વતની અને વાંકાનેરની પ્રખ્યાત નામાંકિત પીરમસાયખ સાર્વજનીક હોસ્પીટલ ખાતે એકાઉન્ટ વિભાગમાં નોકરી કરતા ઐયુબભાઇ કડીવાર (ઉ.વ.૪૫)નું આકસ્મીક નિધન થતા અરેરાટી વ્યાપી ગઇ હતી.
નોકરી પરથી છુટી ઘર તરફ જઇ રહેલા ઐયુબભાઇનું બાઇક ટ્રેકટર સાથે અથડાતા આ અકસ્માતમાં હોસ્પીટલના કર્મચારી ઐયુબભાઇનું મૃત્યુ થતા પ્રથમ પીરમસાયખ હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ પીએમ અર્થે વાંકાનેરની સરકારી હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
બહુ માયાળુ સ્વભાવ ધરાવતા ઐયુબભાઇનું અકાળે અવસાન થતા હોસ્પીટલ સ્ટાફ તેમજ બહોળો મિત્ર વર્તુળમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. મૃતક ઐયુબભાઇને સંતાનમાં એક દિકરો એક દિકરીએ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.