સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th November 2022

કેજરીવાલનો ભાવનગરમાં રૂપમ ચોકથી મેન બજાર સુધી ભવ્ય રોડ શો યોજાયો

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો સૌથી પહેલા મોંઘવારી દૂર કરશે: બેરોજગાર યુવાનોને રોજગાર આપશે

અમદાવાદ :  ગુજરાત વિધાનસભા પ્રચાર ઝુંબેશ જોરશોરથી ચાલી રહી છે. જેના પગલે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ ભાવનગર પહોંચ્યા છે. તેવો સાત વિધાનસભા બેઠક પર ઉમેદવારોની જીત નિશ્ચિત કરવા ભાવનગર પહોંચ્યા છે. જયારે શહેરના રૂપમ ચોકથી મેન બજાર સુધી ભવ્ય રોડ શો યોજ્યો છે. જેમાં રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા

 રોડ શો દરમિયાન કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો સૌથી પહેલા મોંઘવારી દૂર કરશે, ત્યારબાદ બેરોજગાર યુવાનોને રોજગાર આપશે તેમજ બેરોજગાર યુવાનોને રોજગારીની તક ઉભી ન થાય ત્યાં સુધી દર મહિને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું આપશે સાથે જ દિલ્લી અને પંજાબ મોડલની પણ અરવિંદ કેજરીવાલે ભાવનગરમાં વાતો કરી હતી

(7:42 pm IST)