News of Friday, 27th January 2023
મજુરી કામ ન ગમતા પરપ્રાંતીય સગીરાનો આપઘાત
ભેસાણના માંડવા ગામે અરેરાટી
(વિનુ જોશી) જૂનાગઢ તા. ૨૭ : મજુરી કામ ન ગમતા ભેસાણ પંથકમાં એક પરપ્રાંતીય સગીરાએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.
મધ્યપ્રદેશના કુમારભાઇ હરશી બામળીયા તેના પરિવાર સાથે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના માંડવા ગામે મજુરી કામે આવેલ.
પરંતુ આ પરિવારની ૧૫ વર્ષીય દિકરી લલીતાને મજુરી કામ કરવું ગમતું ન હોય આથી તેણીએ કુવામાં ઝંપલાવીને મોતને મીઠું કરી લીધું હતું.
પરપ્રાંતીય પરિવારની દિકરીએ આત્મહત્યા કરી લેતા ગમગીની પ્રસરી ગઇ હતી.
(11:48 am IST)