પ્રજાસત્તાક પર્વ દિને કેશોદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત માતા પુજનનો કાર્યક્રમ યોજાયો
(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૨૭: કેશોદ શહેરમાં સામાજિક સાંસ્કળતિક પ્રવળત્તિઓમાં અગ્રેસર એવી સામાજિક સંસ્થા ભારત વિકાસ પરિષદ દ્વારા ૭૪માં પ્રજાસત્તાક પર્વદિને ભારત માતા પુજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમગ્ર રાષ્ટ્ર પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન થી ઉજવણી કરી રહ્યુ હતુ ત્યારે ઠેર ઠેર ઉત્સાહભેર ધ્વજવંદન પરેડ સંસ્કળતિ કાર્યક્રમ દેશભક્તિના ગીતો અંગકસરતના દાવો સામાજિક કાર્યક્રમો યોજાઇ રહ્યા હતા ત્યારે કેશોદ ભારત વિકાસ પરિષદ દ્વારા પણ શહેરના ચારચોક વિસ્તારમાં ભારત માતાનું પૂજન અને ભારતની શાન રાષ્ટ્રધ્વજને સલામી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ જગમાલભાઈ નંદાણીયા ડોક્ટર તોહલભાઈ તન્ના ખજાનચી દિનેશભાઈ કાનાબાર સોલંકી સાહેબ તેમજ કારોબારીના દરેક સભ્યો દ્વારા ભારત માતાનું પૂજન તેમજ રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.
આ રાષ્ટ્રીય પર્વમાં નાનામાં નાની વ્યક્તિ ભારત માતાનું પૂજન કરી શકે અને રાષ્ટ્રધ્વજને સલામી આપી શકે તે માટે ભારત વિકાસ પરિષદ દ્વારા કેશોદના હૃદય સમા વિસ્તાર ચારચોકમાં પૂજન અને સલામીનો કાર્યક્રમ રાખીને કેશોદની સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે તેવું આયોજન કરવામાં આવેલુ હતુ. આ કાર્યક્રમમાં સામાન્ય લોકો દ્વારા ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી ભારત માતાનું પૂજન કરે હતું અને રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક સલામી આપવામાં આવી હતી.