સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 27th February 2021

દેવતણખી ધામ મજેવડીમાં વિશ્વકર્મા જયંતી મહોત્સવ યોજાયો

ધોરાજી : મજેવડી ગામ ખાતે લુહાર સમાજ ના કુલભૂષણ સંત શ્રી દેવતણખી દાદા અને લીરલબાઈ માતાજીની ચેતન સમાધિ સ્થાન દેવતણખી ધામ ખાતે વિશ્વકર્મા જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી વિશ્વકર્મા દાદા ના મંદિર પુજારી શ્રી વિઠ્ઠલભાઈ દવે

દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશ્વકર્મા દાદા નું પૂજન અર્ચન અને મહા આરતી યોજાઇ હતીઅખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી અને ગુજરાત પ્રદેશના મહામંત્રી કિશોરભાઈ રાઠોડ તેમજ અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહામંડળ ના રાષ્ટ્રીય અગ્રણી કાલુરામજી લુહાર રાજસ્થાન વાળા તેમજ દેવતણખી ધામ ના પ્રમુખ શાંતિભાઈ ગોહિલ લુહાર સમાજના અગ્રણી ઉમેદભાઈ મકવાણા જેતપુર વાળા દેવતણખી ધામ ના પ્રવીણભાઈ દાવડા ધોરાજી રમેશભાઈ કારેલીયા જુનાગઢ ભીખાભાઈ પીઠવા મજેવડી અતુલ ભાઈ મકવાણા જુનાગઢ પ્રવીણભાઈ કારેલીયા જુનાગઢ ભીખાભાઈ ડોડીયા નવાગઢ જેતપુર વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે આવેલ મહેમાનો નું દેવતણખી ધામ મજેવડી ના પ્રમુખ શાંતિલાલ ગોહિલ તેમજ રમેશભાઈ કારેલીયા વગેરે આવકારેલ હતા. તેમજ મોટી સંખ્યામાં ગુજરાત ભરમાંથી લોકો દિવ્ય દર્શન પધારેલા હતા.

(11:31 am IST)