News of Saturday, 27th February 2021
અમરેલીના ગઢડી-પાતળા વિસ્તારમાં ઇનફાઇટમાં સિંહબાળનું મોત
અમરેલી,તા. ૨૭: અમરેલી જીલ્લાના ખાંભા તુલસીશ્યામ રેન્જના ગઢીયા -પાતળા વિસ્તારમાં સિંહબાળનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.
ભાણીયા રાઉન્ડ ગઢીયા -પાતળા વિસ્તારમાં ૩ થી ૪ માસનાં સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી વનવિભાગની ટીમે તપાસ કરતા માદા સિંહબાળનું મોત ઇનફાઇટમાં થયું હોવાનું સામે આવ્યું છે.
થોડા સમય પહેલા ગઢીયા -પાતળા વિસ્તારમાં લાઇનશો અને શિકાર સહિત પ્રવૃતિ સામે આવી હતી.
સિંહબાળના મૃતદેહ પર ઇજાના નિશાન જોવા મળ્યા છે. મૃત સિંહબાળનું પી.એમ. ખાંભા રેન્જ ઓફીસ ખાતે કરવામાં આવ્યુ છે.
(12:54 pm IST)