ટંકારા અને વાંકાનેરમાં દયાનંદ માજી સૈનિક સંગઠનની સ્થાપના
ટંકારા : ટંકારા અને વાંકાનેર તાલુકાના માજી સૈનિકો દ્વારા હોટેલ આર્ય પેલેસ ખાતે મીટીંગ રાખી દયાનંદ માજી સૈનિક સંગઠનની સ્થાપના કરી હતી. જેના હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે ચેતનભાઈ પટેલ, ઉપપ્રમુખ ખોડાભાઈ ઝાવડા, મહામંત્રી વનરાજસિંહ, મગનભાઈ ભાગ્યા, ખજાનચી અને સલાહકાર તરીકે મયુરસિંહ ઝાલાની નિમણુંક કરેલ છે. જેમાં ગુજરાત માજી સૈનિક સંગઠનના પ્રમુખ જીતેન્દ્રભાઈ નિમાવત, ધીરજભાઈ ઠુંમર, ક્રિષ્નસિંહ જાડેજા, અલ્કાબેન પંડયા, ગીરીરાજસિંહ હાજર રહ્યા હતા. જેમાં પ્રમુખ નિમાવત દ્વારા માજી સૈનિકોના ૧૪ મુદ્દાઓ અને હકો વિશે ચર્ચા કરી હતી. તેમજ ૬ જૂને શાહીબાગ, અમદાવાદ ખાતે યોજાવાના માજી સૈનિક અને નારી સન્માન યાત્રાનું આમંત્રણ અપાયુ હતું. (તસ્વીર - અહેવાલ : હર્ષદરાય કંસારા - ટંકારા)