જામનગરમાં જનચેતના રેલી : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા સરકાર વિરૂધ્ધ પ્રહારો
જામનગર : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા મોંઘવારીના વિરોધમાં જનચેતના રેલી દરમિયાન આવી પહોંચ્યા હતા અને આ તકે મોંઘવારીને લઈને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. દારૂબંધી મુદ્દે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દરેક ખૂણે દારૂ મળે છે.બુટલેગરો હપ્તા આપતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. અને કહ્યું હતું કે, સરકારની ઈચ્છા શકિત હોય તો ગુજરાતમાં એક જ દિવસમાં દારૂબંધીનો કડક અમલ થાય એમ છે. જામનગર માં મોંઘવારીના વિરોધમાં જન ચેતના રેલીમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જોડાયા હતા. ત્યારે સરકાર પર પ્રહાર કરતાની સાથે જ જામનગરમાં ગુંડા તત્વોના રાજ હોવાના આરોપ પણ લગાવ્યા હતા. આ જન ચેતના યાત્રા શહેરમાં રાજમાર્ગો પર નીકળી હતી. જેમાં સૌરાષ્ટ્રના ચાર કોંગી ધારાસભ્ય, સ્થાનિક આગેવાનો સહિત કાર્યકરો જોડાયા હતા.(તસ્વીર : કિંજલ કારસારીયા, જામનગર)