સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th July 2021

મોરબીના લીલાપર સ્મશાન નજીક વાલ્વમાંથી કીમતી પાણીનો વેડફાટ

કીમતી પાણીનો વ્યય અટકાવવા જવાબદાર તંત્ર ગંભીરતા દાખવે તેવી લોકોની માંગ

મોરબીના લીલાપર સ્મશાન રોડ પર આવેલ પાણીના વાલ્વમાંથી પાણીનો બગાડ જોવા મળી રહ્યો છે વાલ્વમાંથી પાણી નીકળતું હોય અને સતત પાણી વહેતું હોવાથી કીમતી પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે મોરબીના અનેક સ્થળોએ આવેલા પાણીના વાલ્વની માફક લીલાપર સ્મશાન રોડ ખાતે પણ પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે ત્યારે કીમતી પાણીનો વ્યય અટકાવવા જવાબદાર તંત્ર ગંભીરતા દાખવે તેવી માંગ લોકો કરી રહયા છે

(7:09 pm IST)