પોરબંદર : મારામારીના ગુન્હામાં ૩ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૨૭: રાણાવાવમાં મારામારીના ગુન્હામાં ૩ વર્ષથી નાસ્તો ફરતો અને અગાઉ મર્ડરના ગુન્હામાં જેલ ભોગવી ચુકેલ હરદાસ મસરી પરમાર દ્વારકામાં સાધુવેશમાં રહેલો હોય તેને પોલીસ પકડી પાડેલ છે.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષકશ્રી ડો.રવિ મોહન સૈની દ્રારા નાસતા ફરતાં આરોપીને શોધી કાઢવા અંગેની સુચનાઙ્ગ આપેલ તે અન્વયે એલસીબી પીઆઇ એમ.એન.દવે તથા ઇન્ચાર્જ પીએસઆઇ એચ.એન.ચુડાસમા સા.એ એલ.સી.બી. સ્ટાફના માણસોને સુચના તથા માર્ગદર્શન આપેલ જે અન્વયે એલ.સી.બી. સ્ટાફના માણસો નાસતા ફરતાં આરોપી શોધી કાઢવા અંગે પ્રય્તનશીલ હતાં તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના હેડ કોન્સ. રવિભાઇ ચાંઉનેને ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, રાણાવાવ પો.સ્ટે. આઇપીસી કલમ-૩૨૩, ૩૨૪, ૩૨૬ વિગેરે મુજબના ગુન્હાના કામેનો આરોપી દેવભુમી દ્વારકા ખાતે હોવાની ચોકકસ હકિકત મળતાં એલ.સી.બી. સ્ટાફની એક ટીમ એ.એસ.આઇ. આર.પી.જાદવ તથા પો.હેડ.કોન્સ. આર.એસ.ચાંઉ, તથાઙ્ગ પો.કોન્સ. દિલીપ જેઠાભાઇ ને રવાના કરેલ અને દેવભુમી દ્વારકા ખાતે સદર ગુન્હાના આરોપી હરદાસ મસરીભાઇ પરમાર (ઉ. વ-૬૦) રહે. દેવડાનાકા કુતિયાણા વાળાની દેવભુમી દ્વારકા ઇસ્કોન ગેઇટ પાસેથી મળી આવેલ અને તેને કોવીડ-૧૯ રીપોર્ટ માટે ભાવ.હોસ્પિટલ ખાતે મોકલી આપેલ છે.
મજકુર આરોપી અગાઉ મર્ડરના ગુન્હામાં પકડાયેલ હોય અને મજકુર આરોપીએ વીસ વર્ષની જેલ ભોગવેલ હતું ત્યારબાદ મારામારીના ગુન્હામાં નાશતો ફરતો હતો તે દરમ્યાન પોતે જુદા જુદા આશ્રમોમાં સાધુ વેશે રહી પોતાની હાજરી છુપાવતો હતો. આરોપીને પકડવાની કામગીરીમાં પોરબંદર એલસીબી પીઆઇ એમ.એન.દવે,ઙ્ગઇન્ચાર્જ પીએસઆઇ એચ.એન.ચુડાસમા,એએસઆઇ રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, તથાહેડ કોન્સ. સલીમભાઇ પઠાણ, રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, પીસી દિલીપભાઇ મોઢવાડીયા, ઉપેન્દ્રસિંહ જાડેજા વિગેરે રોકાયેલ હતા.