News of Thursday, 27th August 2020
જુનાગઢમાં બે દિવસ પહેલા ખાનગી હોસ્પિટલમાં ૬ ઠ્ઠા માળેથી ઝંપલાવી કોરોના પોઝિટીવ એ આપઘાત કરેલ તેના વિયોગમાં તેના પત્નિ અને ૪ વર્ષના પુત્ર એ કુવામાં ઝંપલાવી આપઘાત કર્યો : કેશોદના મોટી ઘંસારીમાં અરેરાટી
(વિનુ જોશી) જુનાગઢ, તા. ર૭ : જુનાગઢની ખાનગી હોસ્પિટલમાં બે દિવસ પહેલા કેશોદના મોટી ઘંસારી ગામના અશોકભાઇ ચુડાસમાને કોરોના પોઝીટીવ આવતા તે સારવાર દરમિયાન ૬ માળેથી પડતુ મુકી આપઘાત કરેલ.
જેના વિયોગમાં આજે તેના પત્નિ નીતાબેન ૪ વર્ષના પુત્ર સાથે કુવામાં ઝંપલાવી આપઘાત કરતા નાના એવા ગામમાં અરેરાટી ફેલાય છે.
(9:22 pm IST)