સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th August 2020

જુનાગઢમાં બે દિવસ પહેલા ખાનગી હોસ્‍પિટલમાં ૬ ઠ્ઠા માળેથી ઝંપલાવી કોરોના પોઝિટીવ એ આપઘાત કરેલ તેના વિયોગમાં તેના પત્‍નિ અને ૪ વર્ષના પુત્ર એ કુવામાં ઝંપલાવી આપઘાત કર્યો : કેશોદના મોટી ઘંસારીમાં અરેરાટી

(વિનુ જોશી) જુનાગઢ, તા. ર૭ :  જુનાગઢની ખાનગી હોસ્‍પિટલમાં બે દિવસ પહેલા કેશોદના મોટી ઘંસારી ગામના અશોકભાઇ ચુડાસમાને કોરોના પોઝીટીવ આવતા તે સારવાર દરમિયાન ૬ માળેથી પડતુ મુકી આપઘાત કરેલ.

જેના વિયોગમાં આજે તેના પત્‍નિ નીતાબેન ૪ વર્ષના પુત્ર સાથે કુવામાં ઝંપલાવી આપઘાત કરતા નાના એવા ગામમાં અરેરાટી ફેલાય છે.

(9:22 pm IST)