પોરબંદર : ફસાયેલા વૃક્ષો કાઢવાની કામગીરીઃ
પોરબંદર ચિકાસા ભાદર નદીના દરવાજે ફસાયેલા વિશાળ વૃક્ષો કાઢવાનું કામ ગોસાબારાના મછિયારા લાખાભાઇ, પુનાભાઇ અને ચિકાસાના રામાભાઇ ઓડેદરાની ટીમ દ્વારા ચાલી રહેલ છે. દરવાજામાં ફસાયેલા વૃક્ષો કાઢી અને બંધ પણ કરી દેવામાં આવ્યા છે અને હાલ ર થી ૩ દિવસ સુધી સતત કાર્ય કરી તમામ દરવાજામાં ફસાયેલા વૃક્ષો બહાર કાઢી દરવાજા બંધ કરી પાણીને સમુદ્રમાં જતુ અટકાવાશે. ત્યારે પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઇ ઓડેદરા અને તેમની ટીમ અને ચિકાસા ગામના આગેવાનો સહકાર મળ્યો તથા ચિકાસા ગામના માજી સરપંચ પુંજાભાઇ માલદેભાઇ કુછડીયા તથા રાજુકેસવ ઓડેદરા, નિલેશ કુછડીયા, દુલા કુછડીયા, દેવાભાઇ ઓડેદરા, મીનંદભાઇ ઓડેદરા, નેભાભાઇ કડછા તથા ગરેજના મ્યાજરભાઇ ગરેજા ઉપસ્થિત રહયા હતા. વૃક્ષો કાઢવાની કામગીરીની તસ્વીર.