મોરબીના લાલપર ગામ નજીક રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફટે ચડી જતા યુવાનનું મોત
મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ: મૃતદેહ પીએમ અર્થે ખસેડાયો
મોરબી તાલુકાના લાલપર ગામ નજીક રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફટે ચડી જતા યુવાનનું મોત થયું હતું જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મૂળ બોટાદના વતની અને હાલ લાલપર નજીક મીલેનીયમ પેપરમિલ શ્રમીકની ઓરડીમાં રહીને કામ કરતા જેન્તીભાઈ ગોરધનભાઈ શેખ (ઉ.વ.૩૬) નામના યુવાન ડેલ્ટા સિરામિક નજીક લાલપર પાસે રેલ્વે પાટા પરથી જતા હોય ત્યારે કોઈ કારણોસર ટ્રેનમાં આવી જતા કપાઈ જતા મોત થયું હતું બનાવ મામલે મૃતકના ભાઈ રસિકભાઈ શેખે પોલીસ મથકમાં જાણ કરી હતી
જેથી મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે ખસેડાયો છે તાલુકા પોલીસે બનાવની નોંધ કરી યુવાન અકસ્માતે ટ્રેનની અડફેટે ચડી ગયો કે પછી બનાવ આપઘાતનો છે તે દિશામાં વધુ તપાસ ચલાવી છે.