News of Saturday, 28th May 2022
તળાજાના યુવાનનો પત્નિ પિયર ગયા બાદ આપઘાત
ભાવનગર, તા.૨૮: તળાજાના યાકુબભાઈની વાડીમાં રહેતા ફોટોગ્રાફી અને કલરકામ કરતા જગદીશભાઈ કાબાભાઈ જાદવ (ઉ.વ. ૩૫)ના પત્નિ પિયરમાં મહુવા ગયા હતા. તે વેળાએ મકાનના ઉપરના ભાગે આવેલ રૂમમાં કોઈ અગમ્ય કારણસર જગદિશભાઈએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતું. મકાનમાં દુર્ગંધ આવતા બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જેને લઈ પોલીસ સ્ટાફે દોડી જઈ મળતક યુવાનનો કબજો સંભાળી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવાનના મળત્યુના પગલે પાંચ વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે
(10:39 am IST)