News of Saturday, 28th May 2022
ઉપલેટાના પત્રકાર જગદીશભાઇ રાઠોડના ઘરે પૂ. જીજ્ઞેશદાદા (રાધે રાધે) ની પધરામણી
ઉપલેટા : મો. લા. પટેલનગરખાતે પોરબંદરના લોકલાડીલા સાંસદ શ્રી રમેશભાઇ ધડુક અને દાસીજીવણ સત્સંગ મંડળ આયોજીત પૂ. જીજ્ઞેશદાદા (રાધે...રાધે...) ની શ્રીમદ્્ ભાગવત સપ્તાહનું આયોજન કરાયુ છે. ત્યારે પૂ. જીજ્ઞેશદાદાએ ઉપલેટાના જાણીતા પત્રકાર જગદીશભાઇ રાઠોડના નિવાસસ્થાને પધરામણી કરી હતી અને રાઠોડ પરિવાર દ્વારા અદકેરૂ સન્માન કરી ફુલહાર પહેરાવી આરતી કરી હતી. ત્યારબાદ પૂ. જીજ્ઞેશદાદાએ તેમના પત્ની મધુબેન, યુવા પત્રકાર ભોલુ રાઠોડ, નિલમબેન, ક્રિશ અને આર્યનને આર્શિવાદ આપ્યા હતાં.
(10:45 am IST)