જામનગર રાજવી પેલેસમાં જગ્ગી વાસુદેવને આવકારવા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૮ : જામનગરમાં આવતી કાલે કોઇમતુર ખાતે આવેલા ઈશા ફાઉન્ડેશનના સદગુરુ જગ્ગી વાસુદેવ આવી રહ્યા છે. જામનગરના અને રાજવી પરિવારના મહેમાન બનવા આવી રહેલા સદગુરુ સૌપ્રથમ ભારતમાં ૨૭ દેશોના પ્રવાસ કર્યા બાદ રોજી પોર્ટ પર ખાસ પરમિશન સાથે આવી પહોંચશે ત્યાંથી ત્રણેય પાંખના સલમાન સાથે તેઓ જામનગર માં પ્રવેશ કર્યા બાદ જામસાહેબ શત્રુશલ્યસિંહજીને પાયલોટ બંગલા ખાતે મળી વિસ્તળત ચર્ચા વિચારણા કરશે ત્યારબાદ જામનગરના પ્રતાપ વિલાસ પેલેસમાં સદગુરુ જગ્ગી વાસુદેવ પોચી બપોર બાદ જામનગર શહેરના એક એવી વિરલ બાગ પેલેસ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. જામનગરના રાજવી ને આંગણે સૌપ્રથમ વખત સદગુરુ જગ્ગી વાસુદેવ જ્યારે આવી રહ્યા છે ત્યારે તેમને આવકારવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. જામનગરના પ્રતાપ વિલાસ પેલેસ ને પણ રોશનીથી ઝળહળી કરી દેવામાં આવ્યું છે અને ઠેર ઠેર તેમને આવકારવા માટે સાંસ્કળતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયા છે રાજવી પરિવાર વતી એકતા બાદ ફોટા સદગુરુ જગ્ગી વાસુદેવ ના આગમન પૂર્વે તમામ કાર્યક્રમો માટે દેખરેખ રાખી વ્યવસ્થા કરાવી રહ્યા છે.