News of Tuesday, 28th June 2022
શ્રી દ્વારકાધીશ મંદિરે શુક્રવારે સોંજે રથયાત્રા ઉત્સવ ઉજવાશે
(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા., ર૮: અષાઢી બીજ શુક્રવારે રથયાત્રા ઉત્સવ નિમીતે શ્રી દ્વારકાધીશ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.
આગામી તા.૧-૭-૨૦૨૨ને શુક્રવારને અષાઢ સુદ ર (અસાઢી બીજ)ના દિવસે શ્રી દ્વારકાધીશ મંદિરમાં રથયાત્રા ઉત્સવ હોવાથી શ્રીજીના દર્શનનો સર્વે દર્શનાર્થીઓએ લાભ લેવા જણાવ્યું છે.
જેમાં તા.૧ને શુક્રવાર સવારનો ક્રમ નિત્યક્રમ મુજબ સાંજનો ક્રમ રથયાત્રા ઉત્સવ દર્શન સાંજે પ થી ૭ વાગ્યા સુધી ત્યાર બાદ નિત્યક્રમ મુજબ રહેશે તેમ વહીવટદાર શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારકા અને પ્રાંત અધિકારી દ્વારકાએ જણાવ્યું છે.
(11:40 am IST)