સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th July 2021

વાંકાનેરમાં શ્રી લોહાણા જ્ઞાતિની ''નાગ પંચમી'' નિમિતે જ્ઞાતિજનોના બહેનો દ્વારા શ્રી ફળેશ્વર મંદિરે પૂજન

વાંકાનેર : વાંકાનેરમાં જડેશ્વર રોડ ઉપર આવેલ વર્ષો પુરાણી ઐતિહાસિક પૂજ્ય શ્રી મુનીબાવાની જગ્યા ''શ્રી ફળેશ્વર મહાદેવ'' મંદિર ખાતે શ્રી ફળેશ્વર મહાદેવદાદાના પાવન સાનિધ્યમાં આજરોજ શ્રી લોહાણા જ્ઞાતિની નાગ પંચમી હોય લોહાણા જ્ઞાતિના બહેનોએ સવારના સાત વાગ્યાંથી ''શ્રી નાગ દેવતાં''નું પૂજન વાંકાનેરના લોહાણા જ્ઞાતિના બહેનોએ શ્રદ્ધાપૂર્વક ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે કરેલ હતું , લોહાણા જ્ઞાતિના શાસ્ત્રીશ્રી મેહુલભાઈ મહારાજે પૂજન કરાવેલ હતું , ''નાગ પંચમી''નું વિશેષ પૂજન સહુ લોહાણા જ્ઞાતિના બહેનોએ કરેલ હતું. 

(11:46 am IST)