આજથી ૩ દિવસ રાજયમંત્રી આહિર કચ્છ જિલ્લાના પ્રવાસે
ભુજ તા.૨૮ : રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર તા.૨૮/૮ થી ૩૦/૮ સુધીના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ ૨૮મીએ શ્રી કચ્છ ગુર્જર મિસ્ત્રી સમાજવાડી, અંજાર મધ્યે અંજાર, ગાંધીધામ, ભચાઉ તથા રાપર તાલુકાના કિસાનોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તથા ખેતીવાડીની નવી બાબતો અંગેના માર્ગદર્શન કાર્યક્રમમાં હાજરી આપી હતી.
કાલે તા.૨૯મીએ સવારે ૧૧ કલાકે હાઈસ્કૂલ હોલ, માનકુવા તા.ભુજ મધ્યે ભુજ, માંડવી તથા મુન્દ્રા તાલુકાના કિસાનોને માન.મુખ્યમંત્રીશ્રી કિસાન સહાય યોજના તથા ખેતીવાડીની નવી બાબતો અંગેના માર્ગદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
તા.૩૦મીએ સવારે ૧૧ કલાકે ઉમા વિધાલય, નખત્રાણા મુકામે નખત્રાણા, અબડાસા તથા લખપત તાલુકાના કિસાનોને માન.મુખ્યમંત્રીશ્રી કિસાન સહાય યોજના તથા ખેતીવાડીની નવી બાબતો અંગેના માર્ગદર્શન કાર્યક્રમમાં હાજરી આપશે.