વંથલીમાં ગણેશ વિસર્જન યાત્રા કે તાજીયા જુલુસ નહિ યોજાઇ : શાંતિ સમિતિની મીટીંગમાં નિર્ણય
જૂનાગઢઃ વંથલી પોલીસ સ્ટેશનમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી આગામી દિવસોમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોને ધ્યાનમાં રાખી આ મીટીંગ નું આયોજન કરવામાં આવેલ હતું, સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાને ધ્યાનમાં લઇ સરકારશ્રીની વિવિધ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને મોહરમ નિમિત્ત્।ે તાજીયા જુલુસ તેમજ ગણેશ સ્થાપન કે વિસર્જન યાત્રા ન કાઢવા સમજાવટ કરવામાં આવી હતી, દિનપ્રતિદિન કોરોના સંક્રમણ કેસ વધવાના પગલે સમગ્ર વહીવટી તંત્ર ચિંતિત છે ત્યારે પ્રજાનું આરોગ્ય જોખમાય નહીં તેની તકેદારી રાખવા અને સંયમ પુર્વક શાંતી અને ભાઈ ચારા નો માહોલ જળવાઈ રહે તે સુનિશ્યિત કરવા અગ્રણીઓ સાથે પુખ્ત અને તંદુરસ્ત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી આ બેઠકમાં પી.એસ. આઈ બી.કે.ચાવડા તેમજ હિન્દૂ સમાજના કેતનભાઈ કલોલા અને મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.