સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th August 2020

આણંદપર બાઘીમાં જમીનના ડખ્ખામાં દિનેશને કોૈટુંબીક ભાઇઓએ ઘુસ્તાવી માથે પાણકો માર્યો

રાજકોટ તા. ૨૮: કુવાડવાના આણંદપર બાઘીમાં રહેતાં દિનેશ શીવાભાઇ સોલંકી (ઉ.વ.૪૨) નામના દેવીપૂજક યુવાનને તેના કોૈટુંબીક ભાઇઓએ જમીનના મનદુઃખમાં મારકુટ કરી માથામાં પથ્થર ફટકારી ઇજા કરતાં ફરિયાદ થઇ છે.

આ અંગે પીએસઆઇ આર. કે. રાઠોડે  આણંદપરના જ દિલુ દેવાભાઇ સોલંકી, રાયસીંગ દિલુભાઇ સોલંકી, ઝવેર દિલુભાઇ સોલંકી અને વિક્રમ દેવાભાઇ સોલંકી સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદી અને તેના આ કોૈટુંબીક ભાઇઓ વચ્ચે જમીનની ખરીદી અને દસ્તાવેજ મામલે અગાઉનું મનદુઃખ ચાલતું હોઇ તેનો ખાર રાખી ચારેયએ ગાળો દઇ ઢીકા-પાટુનો માર માર્યો હતો. તેમજ પથ્થર હાથમાં પકડી માથામાં ફટકારી ઇજા કરી હતી. પીએસઆઇ આર. કે. રાઠોડ વધુ તપાસ કરે છે.

(1:00 pm IST)