સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th August 2020

જામનગર શહેર-ગ્રામ્ય મામલતદાર કચેરી તથા સબ રજિસ્ટ્રાર કચેરીના ૭ કર્મચારીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ

સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીના ઓનલાઈન ટોકન મેળવ્યા હોય તેના સિવાય તથા જનસેવા કેન્દ્રની કામગીરી જાહેર જનતા માટે બંધ

જામનગર : સરૂ સેકસન રોડ ખાતે આવેલ જિલ્લા સેવા સદનમાં કાર્યરત જિલ્લા લેકટર કચેરી, સીટી સર્વે કચેરી તથા મહેસુલ સેવા સદનમાં કાર્યરત પ્રાંત કચેરી, જામનગર (શહેર), જામનગર (ગ્રામ્ય), મામલતદાર કચેરી, જામનગર (શહેર), જામનગર (ગ્રામ્ય) તથા સબ રજીસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા તમામ સરકારી કર્મચારીઓ તથા આઉટસોર્સ એજન્સી મારફત ફરજ બજાવતા તમામ કર્મચારીઓ મળી કુલ ૨૬૪ કર્મચારીઓનો કોવીડ-૧૯ અંગેનો એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવેલ જે પૈકી કુલ - ૭ કર્મચારીઓનો ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય, તકેદારીના ભાગરૂપે આવતીકાલ તા. ૨૯-૦૮-૨૦૨૦ શનિવારના રોજ બન્ને સંકુલમાં આવેલ તમામ કચેરીઓ (સબ રજીસ્ટ્ર્રાર કચેરીમાં દસ્તાવેજ નોંઘણી માટે ઓનલાઇન ટોકન મેળવેલ હોય તે સીવાય) તથા જનસેવા કેન્દ્રોની કામગીરી જાહેર જનતા માટે બંઘ રાખવા નિર્ણય લેવામાં આવેલ છે. જેની જાહેેેર જનતાએ નોંઘ લેવા વિનંતી છે.

(8:15 pm IST)