સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th September 2022

વાંકાનેરમાં નરેન્‍દ્રભાઇના જન્‍મદિન અને પંડિત દિનદયાળ ઉપાધ્‍યાયની જન્‍મ જયંતિની ઉજવણી

વાંકાનેર તા. ર૮ :.. વાંકાનેર વોર્ડ નં. ૭ માં આવેલ વિવેકાનંદ સોસાયટી ખાતે આવેલ કોમ્‍યુનીટી હોલ ખાતે તા. ર૬ ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના ૭ર માં જન્‍મદિનની સાપ્તાહીક ઉજવણી ચાલી રહી છે.

ત્‍યારે તા. ર૬ ના રોજ પંડિત દિન દયાલ જન્‍મ જયંતી પ્રસંગે પ્રથમ પંડિતજીની છબીને ફુલહારવિધી અને દિપ પ્રાગટય કરી ત્‍યારબાદ પંડિતજીના જીવન સંઘર્ષની વિશેષ માહિતી અમરશીભાઇ મઢવીએ રજૂ કરી હતી.

ત્‍યારબાદ દેશના વડાપ્રધાન શ્રી ‘મન કી બાદ‘ નો કાર્યક્રમ  ટી. વી.ના માધ્‍યમ દ્વારા નિહાળવામાં આવેલ હતો ત્‍યારબાદ ટીફીન બેઠકનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.

ઉપરોકત કાર્યક્રમમાં અમરશીભાઇ મઢવી, મુળજીભાઇ ગેડીયા, અમુભાઇ ઠાકરાણી, પાર્થભાઇ રાવલ, હિમાંશુભાઇ ગેડીયા, ટપુભાઇ માલધારી, કુકાભાઇ માલધારી, હીરાભાઇ ચાવડા, ગૌતમભાઇ, જે. ડી. સોલંકી, અમૃતભાઇ સુમેસરા તેમજ મહીલા મોર્ચાના પ્રમુખ પ્રજ્ઞાનાબા ઝાલા તથા રીટાબા રાઠોડ વગેરે બહોળી સંખ્‍યામાં ભાઇઓ-બહેનો ઉપસ્‍થિત રહ્યા હતાં.

(12:23 pm IST)