ખંભાળીયામાં પાલીકા નવરાત્રી મહોત્સવની પૂજા આરતીમાં પાલીકા અગ્રણીઓ જોડાયા
ખંભાળીયાઃ પાલીકા દ્વારા અહીના રાજય પુરોહીત બોડીંગ ખાતે યોજાયેલ નવરાત્રી મહોત્સવની પુજા તથા આરતીમાં મોટી સંખ્યામાં ખેલૈયા બહેનો તથા બાળાઓ સાથે આગેવાનો પણ જોડાયા હતા. પાલીકા પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઇ રાયચુરા કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય સદસ્યો તથા અગ્રણીઓ હિતેશભાઇ ગોકાણી, હરેશભાઇ ભટ્ટ, મયુરભાઇ ધોરીયા, જીતેશભાઇ પરમાર,શાસક નેતા દિલીપભાઇ , નાથુભાઇ વાનરીયા, નરોતમભાઇ દલવાડી, ભીખુભા જેઠવા, જીલ્લા ભાજપ યુવા પ્રમુખ વનરાજસિંહ વાઢેર, શહેર મહામંત્રીઓ ઇન્દ્રજીતસિંહ પરમાર, પિયુષભાઇ કણઝારીયા, ભાજપ શહેર પ્રમુખ તથા રઘુવંશી અગ્રણી અનિલભાઇ તન્ના, શંકરભાઇ અબોટી, અશોકભાઇ કાનાણી, એડવોકેટ તુષારભાઇ ત્રિવેદી, રાજય મહીલા હોદેદાર મનીસાબેન ત્રિવેદી, શહેર મહીલા પ્રમુખ મીતાબેન લાલ, નીમીસાબેન નકુમ, સદસ્યા હેમાબેન ખેતીયા, રાણાભાઇ ગઢવી વિ.જોડાયા હતા.