News of Monday, 28th November 2022
પત્ની સાથેના ઘરકંકાસને લઇ વંથલી પંથકના પૌઢનો આપઘાત
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૮: પત્ની સાથેના ઘરકંકાસને લઇ વંથલી પંથકમાં એક પ્રૌઢે આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.
વંથલી તાલુકાના થાણા પીપળી ગામમાં ૫૧ વર્ષીય પ્રવિણભાઇ બચુભાઇ ગજેરા અને તેમના પત્નીને અવારનવાર કોઇને કોઇ બાબતે ઘરકંકાસ રહેતા હોય પ્રવિણભાઇ કંટાળી ગયા હતા.
આખરે ગઇ કાલે પ્રવિણભાઇએ ઝેરી દવા ગટગટાવીને મોતની સોડ તાણી લીધી હતી.
આ અંગે મૃતકના ભાઇએ જાણ કરતાં વંથલી પોલીસે દોડી જઇને આગળની કાર્યવાહી કરી હતી.
(12:10 pm IST)