જામનગરમાં એનસીસી ગ્રુપ દ્વારા રક્તદાન
૨૪૭ જેટલા કેડેટ્સ તથા અન્ય અધિકારીઓ- પદાધિકારીઓ શામેલ થયા
(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. ૨૮ : જામનગરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તેમજ એનસીસીના કેડેટ્સ દ્વારા નવેમ્બર મહિનાના છેલ્લા રવિવારે ગઈકાલ તારીખ ૨૭.૧૧.૨૦૨૨ના દિવસે એનસીસી ડેની ઉજવણીના ભાગરૂપે મહા રક્દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
નેશનલ હાઇસ્કુલના પટાંગણમાં આવેલી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના હોલમાં રક્તદાન શિબિરમાં નેવલ અને એનસીસીના અધિકારીઓ તેમજ ૨૪૭ જેટલા કેડેટ્સ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જામનગરના સહયોગથી નેશનલ હાઇસ્કુલ ના મિડલ હોલ માં એન સી.સી. ડે નિમિતે આર્મી તથા નેવી વિંગ ના કેડેટો દ્વારા બ્લડ ડોનેશન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન બિપીનભાઈ ઝવેરી તથા વાઇસ ચેરમેન ડો.અવિનાશભાઈ ભટ્ટ તથા અન્ય રેડક્રોસના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત મુખ્ય અતિથી તરીકે એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર ના ગ્રુપ કમાન્ડર કર્નલ એચ. કે. સિંગ તથા અન્ય ત્રણ વરિષ્ઠ એનસીસીના અધિકારીઓ, ૨૩ પીઆઇ સ્ટાફ, પાંચ એ.એન.ઓ. તેમજ એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર ના ૨૭ ગુજરાત એનસીસી તથા આઠ ગુજરાત એનસીસી નેવલ યુનિટના કેડેટ્સ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.
એન.સી.સી.જામનગર ના ગ્રુપ કમાંડર કર્નલ એ.કે.સિંગ, તથા ૨૭ ગુજરાત બટાલિયન એન.સી.સી.ના કમાંડિંગ ઓફિસર કર્નલ મનીષ મલ્હોત્રા , રિટાયર્ડ કર્નલ શ્રી બાટલા,વએડમ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ મનીષ દેઓરે, સુબેદાર મેજર લાલ બહાદુર, તથા ઇન્ડિયન નેવલ એનસીસી વિંગ ના કમાન્ડિંગ ઓફિસર લેફ. કમાંડર ઈશાન ચતુર્વેદી, જેસીઓ, એન.સી.ઓ. તથા એન.સી.સી.ઓફિસર કેપ્ટન. એન.સી.પરમાર તથા કેપ્ટન અવસ્થી તથા અન્ય મહેમાનો આ તકે ઊપસ્થિત રહયા હતા, અને કેડેટો ને સમાજ ઉપયોગી પ્રવળત્તિ માટે તથા દેશ ની સંરક્ષણ સેવા માં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં.
આ કાર્યક્રમમાં રેડ ક્રોસ સોસાયટીના આનંદ મહેતા કિરીટભાઇ મહેતા પૂર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજુભાઈ ભાનુશાળી ,પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, દિપાબહેન સોની, નિરુપમા બહેન વાગડીયા, હંસાબેન રાવલ, પુષ્પાબહેન આહીર, બીનાબેન બદીયાણી વગેરે રેડ ક્રોસ સોસોયટીનાં સદસ્યોએ પ્રોગ્રામને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.