ભાવનગરમાં રાજગોર સમાજના વિદ્યાર્થી તાલિમ ભવન અને વાડી નવનિર્માણનું ભૂમિપૂજન કરતા પૂ. મુકતાનંદબાપુઃ નવનિયુકત ટીમનું સન્માન
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૮ :.. શ્રી રાજગોર (કાઠીગોર) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર ભાવનગર દ્વારા ગઇકાલે રવિવારના રોજ ભાવનગર ખાતે વાડી નિર્માણ તેમજ રાજગોર જ્ઞાતિ પરિવારોના ઉજજવળ તારલાઓના ભવિષ્ય નિર્માણ માટે ટ્રેનીંગ સેન્ટર નિર્માણ માટેનું ભૂમિ પૂજન ખાતમુર્હુત અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ પૂ. મુકતાનંદબાપુના હસ્તે કરાયું હતું.
તેમજ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ એવા સંઘની નવ નિયુકત ટીમના પ્રમુખ યુવા ઉદ્યોગપતિ બંકિમભાઇ મહેતા ઉપપ્રમુખ વાસુદેવભાઇ જોષી મંત્રી સંજયભાઇ દવે સહમંત્રી જીતેન્દ્રભાઇ બોરીસાગર ખજાનચી ભવસુખભાઇ મંડીર ઓડીટર કમલેશભાઇ ભરાડ સહિતનાનુ ફુલહાર પહેરાવી સન્માન પત્ર આપી સન્માનીત કરાયા હતા આ તકે દિવ્યકાંતભાઇ જોષી, વિનુભાઇ ચાંઉ, ગીજુભાઇ વિકમા સહિત ભાવનગરરાજગોર સમાજના ભાઇઓ - બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
પૂ. મુકતાનંદબાપુએ જણાવ્યું હતું કે, હર હર મહાદેવ સાથે જણાવેલ કે ભાવેણાના આંગણે પુરોહિત પરિવારના માધ્યમથી દેવી ભાગવતમાં ઉપસ્થિત જ્ઞાતિજનો આજે ખુશીનો પ્રસંગ છે. આ પ્રસંગની સાથે રાજગોર કાઠીગોરના વિકાસ માટે વિકાસ કેન્દ્ર ઉભુ થઇ રહ્યુ છે. જેની અંદર વર્તમાન સમયની સમસ્યા હોય એ બધાનો સમાવેશ થઇ શકે રોજીરોટીનો પ્રશ્ન હોય આ પ્રસંગ હોય એવુ સરસ મજાનું આ યુવાન પેઢી છે આ કેન્દ્ર ઉભુ કરી રહ્યા છે.
આપ સૌને વધાઇ આપુ છું અને વહેલી તકે આ કાર્ય પુરૂ થાય તેવી શુભકામના વ્યકત કરી હતી. (તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)