લદાખ - જમ્મુ કાશ્મીર - લખનૌની દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને રૂ.૧.૮૦ લાખની સહાય અર્પણ
રાજકોટ,તા. ૨૯ : ઉત્ત્।રપરદેશના લખનૌ નજીક ગઈકાલે એક બસ દુર્ઘટના સર્જાઈ હતી. ૧૩૦ કેટલા મુસાફરોને લઈ જતી બસને અન્ય વાહને ટક્કર મારતાં ૧૮ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પૂજય મોરારી બાપુની સંવેદના સ્વરૂપે શ્રી લખનૌ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા આ હતભાગી મુસાફરના પરીવાજનોને ૯૦ હજાર રૂપિયાની સહાયતા રાશિ પહોંચતી કરવામાં આવશે.
લદાખ અને જમ્મૂ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં વાદળ ફાટવાની તથાઅતિવૃષ્ટની ઘટનામાં પણ ૧૮ જેટલા લોકોએ તેમનાં પ્રાણ ગુમાવ્યા છે જેમનાં પરિવારજનો ને પણ રામકથાના શ્રોતાઓ દ્વારા પૂજય મોરારિબાપુની સૂચના અનુસાર શ્રી હનુમાનજી ની સાંત્વના રૂપે ૯૦ હજારની સહાય મોકલવામાં આવશે. બન્ને દ્યટનાની કુલ રકમ એક લાખ એંસી હજાર થાય છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજય મોરારિ બાપુએ પ્રાર્થના કરી છે. મૃતકનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે. તેમ જયદેવભાઇ માંકડે જણાવ્યું છે.