સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th August 2020

મોરબી જિલ્લામાં કોરોનાના વધુ ૨૬ કેસ, ૩૨ દર્દીઓ ડિસ્ચાર્જ

મોરબી તા. ૨૯ : મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૨૬ કેસો નોંધાયા છે. જેમાં ૬ કેસો ગ્રામ્ય જયારે ૨૦ કેસ શહેરી વિસ્તારમાં નોંધાયા છે જયારે આજે ૩૨ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.

મોરબી જીલ્લામાં નવા કેસોમાં મોરબી તાલુકાના ૨૧ કેસોમાં ૫ ગ્રામ્ય અને ૧૬ શહેરી વિસ્તારમાં નોંધાયા છે જયારે વાંકાનેરમાં ૨ કેસો શહેરી વિસ્તારમાં નોંધાયા છે અને હળવદમાં ૨ કેસ શહેરી વિસ્તારમાં નોંધાયા છે તો માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકના વધુ એક કેસ નોંધાયો છે. જયારે આજે વધુ ૩૨ દર્દીઓ સ્વસ્થ થયા છે. મોરબી જીલ્લામાં નવા કેસો સાથે કુલ કેસનો આંક ૯૧૧ થયો છે જેમાં ૧૯૨ એકટીવ કેસ છે જયારે અત્યાર સુધીમાં કુલ ૬૬૯ દર્દીઓ સ્વસ્થ થયા છે.

(1:06 pm IST)