સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

જામકંડોરણામાં ખેડૂત નેતા રાદડીયાની પુણ્યતીથીની ઉજવણી

 ધોરાજીઃ ખેડૂત નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાની ૧૪મી માસીક પુણ્યતિથી નિમિતે ખોડલધામ સમિતી દ્વારા જામકંડોરણામાં કોરોના મહામારી સામે રક્ષણ આપતા માસ્ક નાશ લેબના મશીન સેનીટાઇઝર આયુર્વેદિક ગોળીઓનું વિતરણ રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ. બેંકના યુવા ડિરેકટર લલીતભાઇ રાદડીયાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ખોડલધામ જીવરાજભાઇ કોયાણી, હિતેષભાઇ વેકરીયા, હિતેષ દોંગા, દિપક ગજેરા, કલ્પેશભાઇ  દેશાઇ, અરવિંદભાઇ વાડોદરીયા, વિગેેરે હાજર રહેલ આ તકે ચીમનભાઇ પાનસુરીયા, વિજય રાણપરીયા, ભાજપના પ્રમુખ ચંદુભા ચૌહાણ, ગોંવિદભાઇ રાણપરીયા વિગેરેએ સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાને શ્રદ્ધાંજલી અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરેલ તે પ્રસંગની તસ્વીર

(11:36 am IST)