સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

ગોખલાણાના યુવાનનો આપઘાત કે ડૂબી ગયો?

જસદણ,તા.૨૯ : તાલુકાના ગોખલાણા ગામે રહેતા વનરાજ રામજીભાઇ ખેતરીયા (ઉવ.૨૩)નામના યુવાનની ગોખલણા ગામે આવેલ તળાવમાંથી સાંજના સુમારે શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. પીએસઆઇ કોડિયાતર અને રાઇટર મથુરભાઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને યુવાનની લાશને તળાવમાંથી બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી. જોકે યુવાને તળાવમાં ઝંપલાવી આપઘાત કર્યો છે કે પછી તળાવમાં ન્હાવા પડ્યા બાદ ડૂબી જવાથી મોત નીપજ્યુ છે વગેરે દિશાએ પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:44 am IST)