News of Tuesday, 29th November 2022
ભાવનગર : વડાળાના પૂ.વાસુદેવ નંદગીરી બાપુ આયોજીત સુરતના ઉપ્રાણના શિવશકિત આશ્રમે મહામૃત્યુંજય મહાયજ્ઞ
ભાવનગર તા. ૨૯ : સુરતના ઉપ્રાણના શિવશકિત નિકેતન આશ્રમ ખાતે વડાળા(પાલીતાણા)ના પુ. વાસુદેવ ગિરિબાપુના સાનિધ્યમાં તા. ૩ થી ૮ ડિસેમ્બર અખંડ મહામૃત્યુંજય મહાયજ્ઞનું આયોજન થયેલ છે. આ પ્રસંગે આછવણી(નવસારી)ના પ્રગ્ટેશ્વર મહાદેવ મંદિરના પૂ. પ્રભુદાદા સહિતના સાધુ - સંતો હાજરી આપશે. ૮ ડીસેમ્બર બપોરે ૧ કલાકે સદગુરૂનો ભંડારો રખાયો છે.
(11:41 am IST)