સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th November 2022

જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ અને વિરપુરના અગ્રણી વેલજીભાઈ સરવૈયાને હૃદયરોગનો હુમલો આવતા નિધન

(કિશન મોરબીયા દ્વારા)વિરપુર જલારામ તા.૨૯ : જેતપુર તાલુકા ભાજપ -પ્રમુખ   અને વીરપુરના અગ્રણી વેલજીભાઈ સરવૈયાને હૃદય રોગનો હુમલો આવતા નિધન થયું છે.

  તેઓ જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ અને ૭૪ જેતપુર જામકંડોરણા વિધાનસભા ઇન્‍ચાર્જ હતા.

 વેલજીભાઇ સરવૈયા ઘરે હતા તે સમયે હૃદય રોગનો હુમલો આવ્‍યો હતો. તેઓને તાબડતોબ  હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા પરંતુ તેઓનું અવસાન થયું હતું.  ચૂંટણીના બે દિવસ અગાઉ જ જેતપુર તાલુકા ભાજપ પ્રમુખનું અવસાન થતાં અરેરાટી વ્‍યાપી ગઈ છે.

(12:06 pm IST)