સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th November 2022

જામનગરમાં પરિમલભાઇ નથવાણીની ઉપસ્‍થિતીમાં રઘુવંશી આગેવાનોની બેઠક

જામનગર તા. ૨૯ : પરિમલભાઈ નથવાણીની ખાસ ઉપસ્‍થિતિમાં આગામી ચૂંટણી સબબ અભિપ્રાય દર્શાવવા રઘુવંશી આગેવાનોની એક બેઠક જામ ખંભાળિયા અને જામનગરમાં આજે મંગળવારે બોલાવવામાં આવી છે.

આંધ્રના રાજ્‍ય સભાના સાંસદ અને જામનગર પંથકના રઘુવંશી અગ્રણી પરિમલભાઈ નથવાણીની ઉપસ્‍થિતિમાં આજે  મંગળવારે બપોરે ૧ વાગે સર્વોદય પાર્ટી, પ્‍લોટ જોગર્સ પાર્કની બાજુમાં, જામનગર ખાતે રઘુવંશી અગ્રણીઓનું મિલન અને સ્‍વરુચિ ભોજન યોજાયેલ છે. જામ ખંભાળિયામાં કાલે સાંજે યોજાયેલ સમારોહમાં તેઓ હાજરી આપે તેવી શકયતા હોવાનું જાણવા મળે છે. ખંભાળિયામાં રવિવારે યોજાયેલ મિલન સમારોહમાં પાંખી હાજરી રહ્યાની પણ ચર્ચા છે.

(4:27 pm IST)