જૂનાગઢ રાષ્ટ્રીય શૈેક્ષીક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ : રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ કાર્યક્રમ કાઠી કન્યા છાત્રાલય ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા ઉપસ્થિત રહ્યા હતા તેમજ મુખ્ય વક્તા તરીકે જીતુભાઈ ભીંડી તેમજ અતિથિ વિશેષ તરીકે કાઠી કન્યા છાત્રાલયના પ્રમુખ રામભાઇ વાળા તેમજ યોગીભઈ પઢીયાર ઉપસ્થિત રહ્યા હતા. દરેક વ્યક્તિનુ કર્તવ્ય હોય છે અને જો દરેક વ્યક્તિ પોતાનું કર્તવ્ય નિભાવે તો સમાજ અને રાષ્ટ્રનો વિકાસ થાય છે. રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ કાર્યક્રમ સમગ્ર દેશમાં શાળાઓમા કોલેજોમા અને યુનિવર્સિટીઓમા યોજવામાં આવે છે. આવા કાર્યક્રમોથી લોકોમાં જાગળતિ આવે છે. રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગ્રાન્ટેડ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સ્વાગત પ્રવચન રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ અને જિલ્લાના અધ્યક્ષ જીતુભાઈ ખુમાણ કર્યું હતું તેમજ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. પદાધિકારીઓ રાકેશભાઈ પુરોહિત, હેમલસિંહ ઠાકોર, શૈલેન્દ્રસિંહ વાઘેલા, જયેશભાઈ ચોહાણ, મનીષાબેન ચોહાણ સહિતનાઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.(અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા જૂનાગઢ)