જામનગરમાં લોહાણા જ્ઞાતીના કાર્ડધારક પરિવારોને વિજયાદશમી પર્વ નિમિતે રાશનકીટનું વિતરણ
(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. ૩૦ : શ્રી જામનગર લોહાણા મહાજન દ્વારા જામનગરમાં વસવાટ કરતાં લોહાણા જ્ઞાતીના દરિદ્રનારાયણ કાર્ડધારકોને વિજયાદશમીના પર્વ નિમિતે સ્વ.શ્રી હરીદાસ રૂગનાથ બદીયાણી (એચ.આર. એન્ડ સન્સ વાળા) સ્વ. કાંતિભાઈ, સ્વ. હર્ષવદનભાઈ તથા સ્વ. જગદીશભાઇના પરિવારના સહયોગથી ૧ કિલો ખાંડ, ૧ કિલો બેસન, ૫૦૦ml તેલ અને ૫૦૦ ગ્રામ ઘી સહિતની કીટ કાર્ડધારકોને આગામી રવિવાર તા. ૦૨/૧૦ ના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ વાગ્યા સુધી શ્રી જામનગર લોહાણા મહાજનવાડી પંચેશ્વર ટાવર ખાતેથી આપવાનું આયોજન કરેલ છે. લોહાણા જ્ઞાતીના દરિદ્રનારાયણ કાર્ડધારકોએ પોતાના કાર્ડ સાથે રાખી અને આ કીટ લેવા સમયસર ઉપસ્થિત રહેવા શ્રી જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દત્તાણિની સંયુક્ત યાદી દ્વારા જણાવાયેલ છે.