વિસાવદરના ભલગામ ખાતે ગરીબ દર્દીઓના લાભાર્થે પૂ. જીવીબા ગોધાણી મેડિકલ સાધન સેવા કેન્દ્ર
(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી- ખેતમજૂરી ઉપર નિર્ભર હોય તેવા દર્દીઓ માટે દવાખાનામાં સારવારના ખર્ચાઓ વચ્ચે જરૂરિયાત વાળા મેડિકલ સાધનો વસાવવા કઠિન હોય,આવા જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાના હેતુથી વિસાવદર તાલુકાના ભલગામ ખાતે કર્મવીર સમિતિ તથા ભલગામ ગામના સરપંચ શ્રીમતી જયોત્સનાબેન ગિરીશભાઈ ગોધાણી સાથ,સહકાર અને યોગદાનથી બીમાર લોકોને મદદરૂપ થવા માટે મેડિકલ સાધનો વસાવી ગામ તેમજ આજુબાજુના વિસ્તારના બિમાર લોકો માટે આવા સાધનો આશિર્વાદ રૂપ બને તેવા ઉમદા સેવાકાર્ય હેતુથી ભલગામ ગામના વડીલ મુરબ્બીશ્રી છગનભાઈ કોટડીયા તેમજ વડીલ મુરબ્બીશ્રી જસમતભાઈ વેકરીયા બન્ને વડીલશ્રીઓના હાથેᅠ રીબીન કાપી ‘જીવીબા ગોધાણી મેડિકલ સાધન સેવા કેન્દ્ર ભલગામ' ગામે લોકોના હિતાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું હતુ.