ABVP મોરબી દ્વારા જિલ્લા છાત્રા સંમેલન સ્વયંસિદ્ધા 2021 નવયુગ સંકુલ ખાતે યોજાયું
જીલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓનું સન્માન કરાયું
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતી નિમિતે બહેનો માટે ભવ્ય છાત્રા સંમેલન યોજાયું હતું જે પ્રસંગે જીલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓનું સન્માન કરાયું હતું
ABVP મોરબી જીલ્લા દ્વારા રાણી લક્ષ્મીબાઈ જન્મજયંતી નિમિતે “છાત્રા સંમેલન સ્વયંસિધ્ધા” નું આયોજન નવયુગ સંકુલ ખાતે યોજાયું. જેમાં ૧૫૦થી વધારે બહેનો ઉપસ્થિત રહ્યા. જે સંમેલનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ નવીનભાઈ પટેલ, PSI નિરાલીબેન શુક્લા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા, ડો.ભાવનાબેન જાની (MD સ્ત્રી રોગ નિષ્ણાત) , પી.ડી.કાંજીયા પ્રમુખ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ઉપસ્થિત રહ્યા હતા
જે સંમેલનમાં આરોગ્ય, કાયદો, સાયબર સિક્યુરિટી, ગૌરવવંતા ગુજરાતમાં મહિલાઓની ભૂમિકા જેવા વિષયો પર સત્ર યોજાયા હતા ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.