જામજોધપુરમાં બહુજન સમાજ પાર્ટી દ્વારા સ્નેહમિલન યોજાયું
જામજોધપુર તા.૨૯ : જામજોધપુર મુકામે પ્રજાપતી વાડી સમાજ ખાતે બહુજન સમાજ પાર્ટી દ્વારા ૮૦ વિધાનસભા વિસ્તારનો સ્નેહમિલન યોજાઇ ગયેલ. આ સાથે લોકસભાના પ્રભારી દાનજીભાઇ ગોહિલ વિધાનસભાના પ્રભારી જગદીશભાઇ ગઢવી બીબીએફ જિલ્લા કન્વીનર પ્રેમજીભાઇ સેજુ જિલ્લા ઉપપ્રમુખ સુનીલ વાઘેલા, અગ્રણી અમિતભાઇ ગોધમ (એડવોકેટ) પુર્વ મહાસચિવ ગુલાબ ચૌહાણ અગ્રણી પ્રવિણ વાઘેલા તેમજ કલ્પેશભાઇ ચાવડા બહુજન વિકાસ ફોજ જામનગર જિલ્લા પ્રમુખ રાજુભાઇ ધુળા વગેરેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ કાર્યક્રમમાં શહેર તેમજ તાલુકાના બહુજન સમાજ પાર્ટીના હોદ્દેદારોની વરણી જાહેર કરાઇ હતી. આ કાર્યક્રમમાં તાલુકાભરના વિવિધ ગામોમાંથી અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જામનગર જિલ્લા બસપાના મહાસચિવ અશોકભાઇ પરમારે કરેલ હતુ.