ધોરાજી નજીક મુસ્લિમ પરિવારની જાનનું મેટાડોર પલ્ટી જતા ૭ને ઇજા : ૭ ગંભીર
(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ૩૧ : ધોરાજીમાં રહેતા ગફારભાઇ અલારખાભાઇ શમાનો પુત્ર અકરમના લગ્ન હોય અને તેની જાન ધોરાજીથી મેદેપરા ગામ જતી હતી.
ધોરાજીના ફરેણી અને નાની પરબડી ગામની વચ્ચે પુલ સાથે અથડાઇને ગોથા ખાઇ જતા આ અંગે ૧૦૮ને જાણ કરતા તમામ ઇજાગ્રસ્તોને ધોરાજીની સરકારી દવાખાને લાવેલ. અકસ્માતની જાણ થતાં માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને રમેશભાઇ સોજીત્રાએ ઘાયલોને સારવારમાં ખસેડેલ હતા અને ડો. હાપલીયા અને સ્ટાફે સારવાર આપેલ. જેમાં ૪ લોકોને વધારે ઇજાઓ થતાં જૂનાગઢ ખસેડેલ હતા.
(૧) અસરફ અલારખા (ઉં.૪૫) ધોરાજી (ર) મોહસીન હારૂક (ઉં.૨૧) ધોરાજી (૩) ગફારભાઇ મામદભાઇ (ઉં.૪૫) રહે. હડમતીયા (૪) સાદીક યુસુફ (ઉં.૧૫)ને જુનાગઢ રીફર કરાયેલ. જ્યારે સીદ્દી હસન (ઉં.૪૦) રહે. મેદેપરા તથા કાસમ અલારખા (ઉં.૫૦) રહે. ધોરાજી અને સેજાદ યુસુફ (ઉં.૧૮) રહે. મેદેપરાવાળાઓને પણ ઇજાઓ થયેલ હતી. આ બનાવ અંગે પોલીસે પ્રાથમિક તપાસ આરંભી છે.