સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st May 2021

ભાવનગર શહેર ભાજપ દ્વારા વિવિધ સેલ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓની નિમણુંક

ભાવનગર તા.૩૧ : ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલજીની સુચના મુજબ ભાવનગર શહેર પ્રમુખ રાજીવભાઇ પંડયા દ્વારા વિવિધ સેલ મોરચાની રચના કરેલ.

મહિલા મોરચાના પ્રમુખ તરીકે શ્રીમતી કોમલબેન માંગુકીયા, મહામંત્રી તરીકે શ્રીમતી રંજનબેન પરમાર અને શ્રીમતી ડો.મલ્લિકાબેન આચાર્ય, કિસાન મોરચાના પ્રમુખ તરીકે નરેન્દ્રસિંહ એલ.ગોહીલ, મહામંત્રી તરીકે ઘનશ્યામભાઇ સોનાણી અને નિરવભાઇ કીકાણી તેમજ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે ભલાભાઇ ચાવડા અને મહામંત્રી તરીકે નિતીનભાઇ રાઠોડ અને કિશોરભાઇ ચૌહાણ તેમજ અનુ. જાતી મોરચાના પ્રમુખ તરીકે ડો.રાજુભાઇ પરમાર અને મહામંત્રી કાંતીભાઇ ખોડીદાસ ધારૈયા અને ગોપાલભાઇ તુલસીભાઇ ચૌહાણ તેમજ અનુ.જન જાતી મોરચાના પ્રમુખ તરીકે રાજુભાઇ ગોવિંદભાઇ બુરવટ, મહામંત્રી તરીકે સંજયભાઇ જાદવજીભાઇ ઘટાડ અને ઉમેશભાઇ જગદીશભાઇ મેઘલાતર તેમજ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે મહેબુબભાઇ માંડવીયા અને મહામંત્રી તરીકે વ્હાબ કુરેશી (નાનો) અને અનવરભાઇ લક્ષ્મીઘરની નિમણંુક કરેલ છે.

તમામ નિમણુંક પામનારને શહેર અધ્યક્ષ રાજીવભાઇ પંડયા, મહામંત્રી યોગેશભાઇ બદાણી, અરૂણભાઇ પટેલ, ડી.બી.ચુડાસમા સહિત શહેર સંગઠનના સૌ પદાધિકારીઓ, વરીષ્ઠ આગેવાનો રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવીયા, રાજય સરકારના મંત્રી વિભાવરીબેન દવે, પુર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, પુર્વ પ્રદેશ અધ્યક્ષ રાજુભાઇ રાણા, પ્રદેશ કારોબારી સભ્ય, મહેન્દ્રભાઇ ત્રિવેદી, અમોહભાઇ શાહ, સુનીલભાઇ ઓઝા, મેયર કીર્તીબેન દાણીધારીયા અને સ્ટે.કમિટી ના ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, શહેર સંગઠનના તમામ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, મનપાના પદાધિકારીઓ, નગરસેવકો, સેલ મોરચાના આગેવાનો, શિક્ષણ સમિતિના ચેરમેન તથા સદસ્યો, વોર્ડ પ્રમુખ મહામંત્રીશ્રીઓ સહિતના આગેવાનોએ આવકારી હતી.

તેમ ભાવનગર મહાનગરના મિડીયા કન્વીનર હરેશભાઇ પરમાર અને સહકન્વીનર તેજશભાઇ જોશી તેમજ પ્રવકતા આશુતોષ વ્યાસની યાદીમાં જણાવાયુ હતુ.

(11:54 am IST)