મોરબીના લાલપર નજીક કેનાલમાં આધેડ ડૂબી જતા ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો
દોઢેક કલાકની મહેનત બાદ ફાયર ટીમને મૃતદેહ હાથ લાગ્યો
મોરબીના લાલપર નજીક કેનાલમાં ૪૯ વર્ષના આધેડ પાણીમાં ડૂબી જતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જોકે દોઢેક કલાકની મહેનત બાદ ફાયર ટીમને મૃતદેહ હાથ લાગ્યો હતો
મોરબીના લાલપર નજીક કેનાલમાં એક આધેડ પાણીમાં ડૂબતા હોવાની માહિતીને પગલે મોરબી ફાયર ટીમના પ્રતિશગીરી ગોસ્વામી, સલીમભાઈ નોબે, પ્રીતેશ નગવાડીયા, વસંત પરમાર અને વિમલ બાવલીયા સહિતની ટીમ દોડી ગઈ હતી અને આધેડને બચાવવા રેક્સ્યું ઓપરેશન હાથ ધર્યું હતું ફાયર ટીમના તરવૈયાઓએ દોઢેક કલાક સુધી શોધખોળ ચલાવી હતી અને ડૂબેલા આધેડનો પત્તો લગાવ્યો હતો જોકે પાણીમાં ડૂબી જતા આધેડનું મોત થયું હતું
મૃતક ધર્મેન્દ્રભાઈ નાનજીભાઈ ચાવડા (ઉ.વ.૪૯) રહે રામકૃષ્ણ સોસાયટી સામાકાંઠે મોરબી ૨ વાળા હોવાનું જાણવા મળ્યું છે તો બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી બનાવની વધુ તપાસ હાથ ધરી છે