માળિયા તાલુકાના નાના દહીંસરા ગામથી તરઘરી માર્ગને ડામરથી મઢવા મુખ્યમંત્રીને પત્ર
સંસ્થા અગ્રણીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી
મોરબી : માળિયા તાલુકાના નાના દહીંસરા ગામથી તરઘરી ગામ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં હોય જેને ડામરથી મઢવામાં આવે તેવી માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે
ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાન્તિલાલ બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે માળિયા તાલુકાના દહીંસરા ગામથી તરઘરી ગામને જોડતો જે રસ્તો છે તે રોડ ડામર રોડ કરવા માટે ગામના આગેવાનોએ વારંવાર માંગણી કરેલ છે જે બાબતે સંબંધિત પેટા વિભાગ દ્વારા જરૂરી એસ્ટીમેટ બનાવીને સરકાર કક્ષાએથી મંજુરી માટે સાદર કરવામાં પણ આવેલ છે પરંતુ આજદિન સુધી રોડને મંજુર કરવામાં શા માટે આવ્યો નથી તેવા સવાલ સ્થાનિકો પૂછી રહ્યા છે જેથી તાત્કાલિક રોડના કામને મંજુરી આપી કામ ચાલુ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે