મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા અનોખી રીતે મોહરમ નિમિતે હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કરાયું
મુસ્લિમ ધર્મનાં મહાન પયગંબર હજરત મોહમ્મદ સાહેબના નવાશા હજરત ઇમામ હુસેન સહિત ના 72 શહિદોની યાદમાં શહેરનાં મુસ્લિમ સમાજ દ્વારા તાજીયા ઝુલુસ નિયાઝ શબીલો નું દર વર્ષે આયોજન કરવામાં આવે છે પરંતુ હાલ કોરોના ની મહામારી અને સરકાર ની સુચનાઓ ધ્યાન માં રાખીને મુસ્લિમ સમાજ દ્વારા એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે
મોહદીષે આઝમ મીશન મોરબી બ્રાંચ દ્વારા શહેરની સિવિલ હોસ્પિટલ તેમજ રોડ પર રહેતાં ગરીબ લોકો ને ફ્રુટ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોહદિષે આઝમ મિશન બ્રાંચ ના મોરબી શહેર નાં પ્રમુખ સૈયદ સાબીરબાપુ કાદરી ઉપપ્રમુખ સૈયદ નિજામબાપુ કાદરી મહેબૂબ ભાઈ અજમેરી સલીમભાઈ અજમેરી ઈમ્તિયાઝ અજમેરી સહિતનાં ઓ હાજર રહ્યા હતા જેમાં મોહદિષે આઝમ મોરબી દ્વારા સિવિલ હોસ્પિટલ ના દર્દીઓ અને રોડ પર રહેતાં ગરીબ લોકો ને ફ્રુડ પેકેટ નું વિતરણ કરી ઇમામ હુસેનની યાદ મનાવી હતી