સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

પોરબંદર જિલ્લામાં કોરાના પોઝીટીવના નવા ૪ કેસ : ૧૪ દર્દીઓ સાજા થયા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૩૧ : જિલ્લામાં કોરાના પોઝીટીવના નવા ૪ પોઝીટીવ કેસ આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરના પોઝીટીવ આંક પ૮પ થયેલ છે. કોરાનાના સારવાર લઇ રહેલ ૧૪ દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.

કોરાના પોઝીટીવના નવા ૪ કેસમાં વનાણાના ૩૦ વર્ષના મહિલા, દત્તસાંઇ સ્કૂલ પાસે ૬૦ વર્ષના પુરૂષ, કર્મચારી સોસાયટીના ૩૦ વર્ષના પુરૂષ તથા વીરડી પ્લોટના પુરૂષનો  સમાવેશ થાય છે.

ભાવસિંહજી હોસ્પિટલમાં હાલ ર૧ દર્દીઓ કોરાનામાં સારવાર લઇ રહેલ છે. હોમ આઇસોલેશનમાં ૭ દર્દીઓ સારવારમાં છે. ૧૪ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ર૯૭ દર્દીઓ સાજા થઇને ઘેર ગયેલ છે.

(1:07 pm IST)