સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

સીદસર ઉમિયાસાગર ડેમના ૧૯ દરવાજા ૧૦ ફુટ ખોલાયા : સીદસર અને ઉપલેટાના છ ગામોને એલર્ટ કરાયા

ડેમમાં 128567 ક્યૂસેકની આવક સામે તેટલો જ જળજથ્થો છોડાઈ રહયો છે : નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના

જામનગર જિલ્લાના જામજોધપુરના સીદસર પાસે આવેલ ઉમિયાસાગર ડેમના ૧૯ દરવાજા ૧૦ ફુટ ખોલાયા છે,સીદસર અને ઉપલેટાના હરિયાસણ ,ચારેલીયા ,ખરેચીયા,રાજપરા ,રબારીકા અને જાર જેવા છ ગામોને એલર્ટ કરાયા છે  -ડેમમાં 128567 ક્યૂસેકની આવક સામે તેટલો જ જળજથ્થો છોડાઈ રહયો છે : નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના અપાઈ છે 

(10:41 pm IST)