News of Monday, 31st August 2020
સીદસર ઉમિયાસાગર ડેમના ૧૯ દરવાજા ૧૦ ફુટ ખોલાયા : સીદસર અને ઉપલેટાના છ ગામોને એલર્ટ કરાયા
ડેમમાં 128567 ક્યૂસેકની આવક સામે તેટલો જ જળજથ્થો છોડાઈ રહયો છે : નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના
જામનગર જિલ્લાના જામજોધપુરના સીદસર પાસે આવેલ ઉમિયાસાગર ડેમના ૧૯ દરવાજા ૧૦ ફુટ ખોલાયા છે,સીદસર અને ઉપલેટાના હરિયાસણ ,ચારેલીયા ,ખરેચીયા,રાજપરા ,રબારીકા અને જાર જેવા છ ગામોને એલર્ટ કરાયા છે -ડેમમાં 128567 ક્યૂસેકની આવક સામે તેટલો જ જળજથ્થો છોડાઈ રહયો છે : નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના અપાઈ છે
(10:41 pm IST)