સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st August 2020

જામનગર જિલ્લામાં કોરોનાનો કહેર : નવા 110 પોઝિટિવ કેસ : એક દર્દીનું મોત

શહેરમાં 91 અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 19 કેસ નોંધાયા: 106 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે આજે નવા 110 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં જામનગર શહેરમાં 91 અને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 19 કેસ નોંધાયા છે

શહેરમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત નીપજ્યું છે  જીજી હોસ્પિટલમાંથી કોરોનાનાં 106 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા છે
જામનગર જિલ્લામાં હાલ 398 કોરોના એક્ટિવ કેસ છે શહેરમાં અત્યારસુધી કુલ 26872 કોરોના સેમ્પલ લેવામાં આવ્યા છે
ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 33180 સેમ્પલ લેવામાં આવ્યાછે

(6:40 pm IST)